PMAY યોજનાનું વિવરણ
વર્ષ 2015માં, ભારત સરકારે પ્રધાન મંત્રી આવાય યોજના (PMAY) નામે એક યોજનાનો પ્રારંભ કર્યો હતો.
PMAY યોજનાનો આશય. દેશના તમામ લોકોને 2022 સુધીમાં તેમને પરવડી શકે તેવું ઘર આપવાનો હતો. ICICI હોમ ફાઇનાન્સ ખાતે અમે, કેન્દ્ર સરકારના ‘હાઉસિંગ ફોર ઓલ’ મિશન સાથે જોડાયા છીએ અને પ્રધાન મંત્રી આવાસ યોજના( PMAY)માં રેખાંકિત કરાયેલા ફાયદાઓ આપીએ છીએ.
કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી ગરીબી નાબુદીકરણ મંત્રાલય (MoHUPA)એ જૂન 2015માં, ભારતમાં હાઉસિંગની માગોને પૂર્ણ કરવા માટે અને EWS/ LIG/MIG સેગમેન્ટના લોકોની ઘરની ખરીદી/બાંધકામ/વિસ્તાર/સુધારા માટે પ્રધાન મંત્રી આવાસ યોજના – શહેરી- હેઠળ ક્રેડિટ લિન્ક્ડ સબસિડી (CLSS) સ્કીમના નામે એક સબસિડી યોજના શરૂ કરી હતી.
અમારી હોમ લોન પ્રોડક્ટ, અપના ઘરને પ્રધાન મંત્રી આવાસ યોજના (PMAY) ના વિસ્તાર તરીકે તૈયાર કરાઇ છે, જે રૂપિયા 2.67 લાખ સુધીના સબસિડી ફાયદા આપે છે. અરજીની પ્રક્રિયાથી માંડીને લાયકાતના ધોરણોથી લઇ રકમની ફેરચુકવણીના વિકલ્પો સુધી, અમે તમારા અને તમારા પરિવારના સ્વપ્નોને સાચા સાબિત કરવામાં તમને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
જો તમારું સ્વપ્નનું ઘર તમને દરવાજામાં કેદ સમુદાયથી આગળ, ગ્રામ પંચાયતો અને નિયમિત કોલોનીઓમા લઇ જાય તો, અમે તમને સમર્થન આપીશું. જો તમે ITR જેવા આવકના ઔપચારિક પુરાવાઓની વ્યવસ્થા ન કરી શકો તો, અમે તમને સમર્થન આપીશું. જો તમને ભૂતકાળમાં હોમ લોન લેવી મુશ્કેલ લાગી હોય અથવા તમે ક્યારેય ન માન્યુ હોય કે તમને હોમ લોન મળશે, તો અમે તમારી મદદ કરીશું ! અમારી 135+ ICCI HFC શાખાઓ ખાતે, તમે મૈત્રીપૂર્ણ અને મદદગાર સ્થાનિક નિષ્ણાત મેળવશો, જેઓ ઘર લેવા વિશે તમારી લાગણીને બદલી નાખશે.
PMAYના લાભો
PMAY હેઠળ CLSS હોમ લોનને પરવડી શકે તેવી બનાવે છે કારણ કે વ્યાજ પર ચુકવાતી સબસિડી હોમ લોન પરના આઉટફઅલોને ઘટાડે છે. યોજના હેઠળ સબસિડીની રકમ મોટાભાગે તમે જે આવક જૂથમાં આવો છે તે આવકની કેટેગરી અને જે પ્રોપર્ટી એકમ પર ધિરાણ કરાઇ રહ્યું છે તેની પર આધાર રાખે છે
તમે PMAY માટે ક્યારે અરજી કરી શકો છો?
યોજનાને ત્રણ તબક્કામાં અમલમાં મુકાઇ રહી છે, પહેલાં બે તબક્કાઓનો અંત આવી ગયો છે. હાલ, અંતિમ તબક્કો ચાલી રહ્યો છે, જે 1 એપ્રિલ, 2019ના રોજ શરૂ થયો હતો અને 31 માર્ચ, 2022ના રોજ સમાપ્ત થશે.
તેથી જો તમે PMAYનો ફાયદો લેવા માગતા હો તો, આ જ સમય છે.
આવક જૂથ (PMAY હેતુ માટે)
- EWS/LIG યોજના - આ અભિયાન 17મી જૂન, 2015થી અમલમાં છે અને 31મી માર્ચ, 2022 સુધી માન્ય છે.
- MIG-1 અને MIG-II યોજના - આ યોજના 31મી માર્ચ, 2020થી અમલમાં છે અને વધુ વિસ્તરણને આધીન 31મી માર્ચ, 2021 સુધી માન્ય છે.
લાભાર્થી પરિવારની વ્યાખ્યાઃ પતિ, પત્ની, અપરિણિત પુત્ર અને/અથવા અપરિણિત પુત્રી. (એક પુખ્ત અને કમાઉ સભ્ય ચાહે તે પરિણિત હોય કે ન હોય તેને MIG કેટેગરીમાં અલગ પરિવાર ગણાશે).
અન્ય શરતો
- આવક ઉપરાંકત એક અન્ય મહત્વપૂર્ણ શરત છેઃ લાભાર્થી પરિવારમાં તેમના/તેણીના નામે અથવા પરિવારના કોઇપણ અન્ય સભ્યના નામે ભારતના કોઇપણ અન્ય ભાગમાં પાકુ મકાન ન હોવું જોઇએ.
- મહિલા માલિકી/સહમાલિકી - EWS/LIG માટેઃ માત્ર નવી ખરીદી માટે મહિલા માલિકી ફરજિયાત છે અને અસ્તિત્વ ધરાવતા જમીનના ટુકડા ઉપર નવા બાંધકામ અથવા પ્રવર્તમાન ઘરના સુધારા-વધારા/મરામતકામ માટે ફરજિયાત નથી. MIG-I અને MIG-II માટેઃ ફરજિયાત નથી.
- જો તમે પરિણિત હો અને PMAY ફાયદો લેવા માગતા હો, તો તમે અથવા તમારા પત્ની અરજી કરી શકો છો અથવા તમે બંને સંયુક્ત રીતે અરજી કરી શકો છો.
- દંપત્તિ તરીકે તમારી આવકને એક એકમ તરીકે ગણાશે, જો પરિવારમાં કોઇ અન્ય પુખ્ત કમાતી વ્યક્તિ હોય, તો તેને/તેણીની અલગ પરિવાર ગણાશે ચાહે તે પરિણિત હોય કે ન હોય.
- તમે ઘરની ખરીદી/બાંધકામ માટે કોઇ અન્ય કેન્દ્રીય સહાયતા ન લીધેલી હોવી જોઇએ.
- તમારે તમારા પરિવારની આવક અને તમારી ઇચ્છિત સંપત્તિના ટાઇટલ અંગે એક સેલ્ફ ડિક્લેરેશન તમારા લોન પ્રદાતાને આપવાનું રહેશે.
- PMAY હેઠલ તમામ લોન એકાઉન્ટ્સ તમારા આધાર કાર્ડ્સ સાથે લિન્ક્ડ કરાવા જોઇએ.
PMAY યોજના માટે પાત્રતા
પ્રથમ, સ્વયં સંપત્તિઃ
- સબસિડી મેળવવા માટે, તમે જે રહેણાંક સંપત્તિ પસંદ કરો છો તે સિંગલ યુનિટ અથવા તો કોઇ બહુમાળી ઇમારતનું એકમ હોવું જોઇએ.
- લાયક એકમમાં પાયાની સુવિધાઓ અને માળખાકીય સવલતો જેવી કે શૌચાલય, પાણી, ગટર, રોડ, વીજળી વગેરે હોવા જોઇએ.
બીજુ, કારપેટ એરિયા (દિવાલો સામેલ નથી) નીચે કરતા વધારે ન હોવો જોઇએઃ
- EWS – 30 ચોરસ મીટર (323 ચો.ફૂટ)
- LIG – 60 ચોરસ મીટર (646 ચો.ફૂટ)
- MIG-I – 160 ચોરસ મીટર (1722 ચો.ફૂટ)
- MIG-II – 200 ચોરસ મીટર (2153 ચો.ફૂટ)
અંતે, લોકેશન :
- વસતી ગણતરી 2011 અનુસાર તમામ કાનૂની નગરો અને તે બાદ, કાનૂની નગરના સંદર્ભમાં જાહેર કરાયેલા પ્લાનિંગ એરિયા સહિત નોટિફાઇડ જાહેર કરાયેલા નગરો.
- જો તમે જાણવા માગતા હો કે તમારું નગર ક્વોલિફાય થાય છે કે નહીં તો, નેશનલ હાઉસિંગ બેન્ક (NHB)ની નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો, અને ‘‘સ્ટેટ્યુટરી ટાઉન પ્લાનિંગ એરિયા કોડ્સ’’ સેક્શનને જુઓ:https://nhb.org.in/government-scheme/pradhan-mantri-awas-yojana-credit-linked-subsidy-scheme/
PMAY યોજનાની લોન મર્યાદા
- EWS: રૂપિયા 6 લાખ;
- LIG: રૂપિયા 6 લાખ
- MIG(I): રૂપિયા 9 લાખ
- MIG(II): રૂપિયા 12 લાખ
PMAY યોજનાનો લોન સમયગાળો
તમામ ચાર કેટેગરીમાં લોનની મુદ્દત 20 વર્ષ છે.
PMAY યોજનાના વ્યાજ દરો
- EWS: 6.5%; 2.67 લાખ રૂપિયા સુધી
- LIG: 6.5%; 2.67 લાખ રૂપિયા સુધી
- MIG(I): 4%; 2.35 લાખ રૂપિયા સુધી
- MIG(II): 3%; 2.30 લાખ રૂપિયા સુધી
PMAY યોજના માટે અરજી કેવી રીતે કરશો
18 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતો કોઇપણ ગૃહસ્થ આ યોજના માટે અરજી કરી શકે છે. જો તમે PMAY સબસિડી ફાયદા માટે અરજી કરવા માગો તો, તમે અમારી 135+ ICICIC HFC શાખાઓ પર તમારી અરજી જમા કરાવી શકો છો. અમારી શાખાઓના સ્થાનિક નિષ્ણાતો તમારી વિનંતીની સ્થળ પર તરત જ સમીક્ષા કરશે અને દાવાને નેશનલ હાઉસિંગ બેન્કને મોકલી આપશે. અમારો હેતું પ્રક્રિયાને તમારા માટે ઝડપી અને સરળ બનાવવાનો છે.
- સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મ ડાઉનલોડ કરીને ભરો
- તેને નજીકની ICICI HFC શાખામાં જમા કરાવો
- તમારી ઓળખનો અસલ પુરાવો અને પરિવારના સભ્યોના આધાર કાર્ડનો પુરાવો સાથે લઇ જાવ
*સબસિડી માટે તમારી વિનંતી નેશનલ હાઉસિંગ બેન્ક તરફથી મંજૂરી અને ક્લિયરન્સનો વિષય રહેશે અને તેને CLSSના ફાયદા લેવા માટે તમારી લાયકાતના મૂલ્યાંકન માટે બદલવીએ ભારત સરકારની મુનસફીનો વિષય રહેશે. અહીં આપેલી કન્ટેન્ટએ યોજના હેઠળ રેખાંકિત કરાયેલા ઉમેદવારીના મૂલ્યાંકન માટેના માપદંડ છે.
PMAY સબસિડી કેલ્ક્યુલેટર
તમે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) માટે પાત્રતા ધરાવો છો કે નહીં તે તપાસો અને અમારા PMAY સબસિડી કેલ્ક્યુલેટર અનુસાર તમે કેટલી સબસિડી મેળવી શકો છો તે જાણો.
શું તમે સરકાર દ્વારા કોઇપણ હાઉસિંગ યોજના હેઠળ કેન્દ્રીય સહાયતા મેળવી છે અથવા PMAY નો કોઇ ફાયદો મેળવ્યો છે?
શું આ તમારું પહેલું પાક્કું મકાન છે?
પરિવારની વાર્ષિક આવક દાખલ કરો
Thirty Thousand
લોનની રકમ
Ten Lakhs
લોનનો સમયગાળો (મહિનાઓ) દાખલ કરો
8 year's and 1 month
PMAY Subsidy Amount
0
સબસિડીની કેટેગરી
EWS/LIG
EMI માં કુલ ઘટાડો
ચોખ્ખુ ઘટાડા મૂલ્ય
નીચેની વિગતો ભરો
PMAY છાશવારે પુછાતા પ્રશ્નો
1. પીએમએવાય બેનિફિશિયરી સૂચિમાં તમારું નામ કેવી રીતે જોશો?
છેલ્લી પીએમએવાય સૂચિ (2021-22)માં તમારું નામ જોવા તમે શહેરી વિભાગ અથવા ગ્રામીણ વિભાગ હેઠળ અરજી કરી છે કે કેમ તે ચકાસીને શરુઆત કરો.
જો તમે પીએમએવાય શહેરી વિભાગ હેઠળ અરજી કરી હોય તો નીચે જણાવેલા સ્ટેપ્સ અનુસરો:
- pmaymis.gov.in ની મુલાકાત કરો
- ‘સીલેક્ટ બેનિફિશિયરી’ પર ક્લિક કરો
- ડ્રોપ ડાઉન મેનૂ માંથી ‘સર્ચ બાય નેમ’ પર ક્લિક કરો.
- તમારો આધાર નંબર એન્ટર કરો.
- જો ડેટાબેઝમાં તમારો આધાર નંબર ઉપલબ્ધ હોય તો સૂચિમાં તમારું નામ તમે જોઈ શકશો.
જો તમે પીએમએવાય ગ્રામીણ વિભાગ હેઠળ અરજી કરી હોય તો નીચે જણાવેલા સ્ટેપ્સ અનુસરો
- rhreporting.nic.in/netiay/Benificiary.aspx ની મુલાકાત કરો.
- તમારો રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરો અને ‘સબમિટ’ પર ક્લિક કરો.
- જો એન્ટર કરેલો રજિસ્ટ્રેશન નંબર બેનિફિશિયરી ડેટાબેઝમાં ઉપલબ્ધ હોય તો તમારી વિગતો દર્શાવવામાં આવશે.
- રજિસ્ટ્રેશન નંબર વગર શોધવા માટે ‘એડવાન્સ્ડ સર્ચ’ પર ક્લિક કરો.
- તમને એ પાના પર લઈ જવાશે જ્યાં તમારે તમારું રાજ્ય, જિલ્લો, બ્લૉક, પંચાયત, નામ, બીપીએલ નંબર અને સેંક્શન ઑર્ડર જેવી વિગતો એન્ટર કરવાની રહેશે.
- રીઝલ્ટ જોવા સર્ચ પર ક્લિક કરો.
2. પીએમએવાય માટે ઑફલાઈન અરજી કેવી રીતે કરશો?
પીએમએવાય ઑફલાઈન માટે અરજી કરવા, કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) ની મુલાકાત કરો, જે રાજ્ય સરકારો દ્વારા સંચાલિત કરાય છે. ઑફલાઈન અરજીઓ માટે, ₹ 25 (વત્તા જીએસટી) રજિસ્ટ્રેશન ફી લાગુ રહે છે. તમારી અરજીને આધાર આપવા કૃપા કરી નીચે જણાવેલા દસ્તાવેજો સાથે લઈ જશો:
- ઓળખનો પુરાવો (આધાર કાર્ડ, પેન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, મતદાતા ઓળખ પત્ર)
- સરનામાનો પુરાવો
- આવકનો પુરાવો (ફોર્મ 16/છેલ્લું આઈટી રીટર્ન અથવા બૅન્ક અકાઉન્ટ સ્ટેટમેંટ છેલ્લા છ મહિનાનું)
- એક સોગંદનામું જે નિવેદન કરતું હોય કે તમે અથવા તમારા તત્કાલિન પરિવાર ભારતમાં કોઈ ઘરની માલિકી નથી ધરાવતા.
- ખરીદવાની હોય તે મિલકતનું વેલ્યૂએશન સર્ટિફિકેટ.
- ડેવલપર અથવા બિલ્ડર સાથેનું કન્સ્ટ્રક્શન એગ્રીમેન્ટ.
- કન્સ્ટ્રક્શન માટેનો મંજૂર થયેલો પ્લાન.
- સર્ટિફિકેટ દ્વારા કન્સ્ટ્રક્શન/રિપૅરના ખર્ચની પુષ્ટિ કરતા આર્કિટેક્ટ અથવા એંજિનિયર
- ઘરની ફિટનેસ બાબતનું સર્ટિફિકેટ.
- સક્ષમ સત્તાધિકારી અથવા સંબંધિત હાઉસિંગ સોસાયટી તરફથી એનઓસી.
- ખરીદી માટે કરેલા એડવાન્સ પેમેન્ટની રસીદ (જો લાગુ હોય તો)
- અલોટમેંટ ઑફ પ્રોપર્ટીનો લેટર / એગ્રીમેન્ટ અથવા અન્ય સુસંગત પ્રોપર્ટી દસ્તાવેજો.
3. શું પીએમએવાય યોજના હાલ હોમ લોન લીધેલ લોકો માટે ઉપલબ્ધ છે?
ના. ચાલુ હોમ લોન માટે પીએમએવાય સબસિડીનો લાભ લેવો શક્ય નથી. આ યોજનાના પાત્રતા માપદંડો અનુસાર, લાભાર્થી તેના/તેણીના નામે અથવા તેના/તેણીના પરિવારમાં કોઈ વ્યક્તિના નામે ભારતના કોઈ પણ ભાગમાં પાક્કા ઘરની માલિકી ન ધરાવતા હોવા જોઈએ. આમ, પીએમએવાય યોજના માત્ર એ લોકો માટે લાગુ રહે છે જેઓ પહેલી જ વાર ઘર ખરીદવા ઈચ્છતા હોય.
જો તમે પહેલા જ હોમ લોન લીધેલી હોય તો એનો અર્થ છે કે તમે તમારા નામે પહેલાથી જ ઘર ધરાવો છો એટલે પીએમએવાય હેઠળ વ્યાજ સબસિડી મેળવવાની તમારી અરજી રદ થઈ જશે.
4.પીએમએવાય સબસિડી મેળવતા કેટલો સમય લાગે છે?
જો તમે પીએમએવાય સીએલએસએસ સબસિડી માટે અરજી કરી હોય તો સબસિડીની રકમ મેળવતા 3-4 મહિનાનો સમય લાગે છે.
એકવાર તમે પીએમએવાય હેઠળ સબસિડીનો લાભ લેવા લોન માટે અરજી કરો પછી, ધિરાણ આપનાર (લેન્ડર) લોન અને સબસિડીની રકમ માટે તમારા પાત્રતા માપદંડો ચકાસે છે. ત્યારબાદ લેન્ડર લોન મંજૂર કરે છે અને સેન્ટ્રલ નોડલ એજન્સીસ (સીએનએ) તરફતી સબસિડી માટેનો ક્લેમ મુકે છે. હાલમાં, ત્રણ સીએનએ કાર્યરત છે - હાઉસિંગ ઍન્ડ અર્બન ડેવલપમેંટ કૉર્પો (હુડકો), નૅશનલ હાઉસિંગ બૅન્ક (એનએચબી) અને સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા. સીએનએ અરજી ક્રૉસ ચેક કરે છે અને ફંડ્સ છૂટું કરે છે, જે તેઓ સરકાર પાસેથી મેળવે છે.
પીએમએવાય હોમ લોન માટે બૅન્ક અથવા અન્ય કોઈ લેન્ડિંગ ઈનિસ્ટટ્યુશનમાં અરજી કર્યા પછી તમે એક એપ્લિકેશન આઈડી મેળવશો. તમે આ એપ્લિકેશન આઈડીનો ઉપયોગ અરજી રજુ કર્યાના સમયથી સબસિડી છૂટી કરવામાં આવે ત્યાં સુધી સ્ટેટસ પર નજર રાખવા માટે કરી શકો છો. તમે એસએમએસ દ્વારા પણ એપ્લિકેશન સ્ટેટસ અપડેટ્સ મેળવશો.
5. પીએમએવાય માટે અરજી કરવા કોણ પાત્ર નથી?
દરેક વ્યક્તિ પીએમએવાય યોજના હેઠળ લાભો માટે પાત્ર નથી. પીએમએવાય સબસિડી યોજના માટે અરજી કરતા પહેલા, તમે યોજના માટે પાત્ર છો કે કેમ એ તમારે ચકાસી લેવું જોઈએ નીચે જણાવેલી યાદી પીએમએવાય સબસિડી માટે કોઈ પાત્ર નથી એ સ્પષ્ટ નિર્દિષ્ટ કરે છે:
- દેશના કોઈપર ભાગમાં પાક્કા ઘરની માલિકી ધરાવતી વ્યક્તિઓ.
- વ્યક્તિઓ જેમણે કેન્દ્ર/રાજ્ય સરકાર સંચાલિત હાઉસિંગ સ્કીમ હેઠળ અગાઉ લાભ મેળવ્યો હોય.
- વ્યક્તિઓ જેમની વાર્ષિક આવક ₹ 6 લાખથી વધારે હોય.
- સરકાર દ્વારા યોજના માટે જણાવેલ નગરો અને શહેરોની સૂચિ બહાર ઘર ખરીદનાર વ્યક્તિઓ (આ સૂચિ સરકાર દ્વારા વખતો વખત અદ્યતન કરવામાં આવે છે).
6. હાઉસહોલ્ડ બેનિફિશિયરી ફૅમિલી કઈ રીતે બને છે?
પીએમએવાય સબસિડી યોજના એ પરિવારોને આપવામાં આવે છે જેમાં હોય:
- પતિ
- પત્ની
- અવિવાહિત બાળકો
કમાણી કરતા પુખ્ત સદસ્યો, તેમની વૈવાહિક સ્થિતિને ધ્યાનમાં ન લેતા તેમને એમઆઈજી શ્રેણીમાં અલગ હાઉસહોલ્ડ તરીકે ગણી શકાય છે.
કૃપા કરી નોંધ લેશો કે પરિવાર લાભાર્થીના નામે અથવા તો લાભાર્થીના પરિવારના સદસ્યના નામે ભારતના કોઈ પણ ભાગમાં પાક્કા ઘરની માલિકી ન ધરાવતા હોવા જોઈએ.
7. વિવિધ પીએમએવાય હાઉસહોલ્ડ શ્રેણીઓના આવાક ધોરણો કયા છે?
પીએમએવાય સબસિડી યોજના માટે તમારી પાત્રતા નિર્ધારિત કરવા તમારી વાર્ષિક પારિવારીક આવક મુખ્ય પરિબળ છે. કૃપા કરી નોંધ લેશો કે પારિવારીક આવકની ગણતરી પરિવારમાં બધાં જ સદસ્યોની વિવિધ સ્રોત સહિત રોકાણ, નોકરી અને અન્ય સ્રોત મારફત થતી આવકોને ધ્યાનમાં લે છે.
વિવિધ પીએમએવાય હાઉસહોલ્ડ શ્રેણીઓના આવક ધોરણોને સમજવા નીચે આપેલું કોષ્ટક જુઓ:
હાઉસહોલ્ડ શ્રેણી |
વાર્ષિક પારિવારીક આવક |
ઈડબ્લ્યુએસ |
₹ 3 લાખ |
એલઆઈજી |
₹ 6 લાખ |
8. પીએમએવાય હેઠળ હું વ્યાજ સબસિડી લાભ કઈ રીતે મેળવીશ?
પીએમએવાય હેઠળ વ્યાજ સબસિડી લાભ મેળવવા, તમારી અરજી નીચે જણાવેલાં સ્ટેપ્સ માંથી પસાર થાય છે:
- એકવાર તમારી હોમ લોન ફાળવવામાં આવ્યા પછી, તમને ધિરાણ આપનાર (લેન્ડર) તમારી અરજીની વિગતો સેન્ટ્રલ નોડલ એજન્સી (સીએનએ)ને મંજૂરી માટે મોકલશે.
- યોગ્ય ચકાસણી થયા પછી, સીએનએ સબસિડી મંજૂર કરશે, જો અગર તમે પાત્ર ઠરશો.
- સબસિડી તમને ધિરાણ આપનારને રીલીઝ કરવામાં આવશે.
- તમને ધિરાણ આપનાર હવે આને તમારા હોમ લોન અકાઉન્ટમાં જમા કરશે.
- સબસિડી લોનમાં તદ્નુસાર એડજસ્ટ કરવામાં આવશે.
તમારા હોમ લોન અકાઉન્ટમાં સબસિડી મેળવવા પર, તમે તે તમારા લોન અકાઉન્ટ સ્ટેટમેંટ જોઈ શકો છો. ઉપરાંત, સબસિડી મેળવ્યા પછી, તમારી ઈએમઆઈ રકમ પણ પહેલા કરતા ઓછી કરી દેવાશે.